વલસાડ: NH-48 અને NH-848Bને જોડતા મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર પેચવર્કની કામગીરી સંપન્ન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 અને NH-848Bને સાંકળતા અત્યંત વ્યસ્ત એવા મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓનું સત્વરે સમારકામ કરી પેચવર્કની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.સમયસર રિપેરીંગ કામગીરી થવાથી હવે વાહનચાલકો સુરક્ષિત, સરળ અને કોઈપણ અવરોધ વિના અવરજવર કરી શકશે.લોકોની મુસાફરી સુખદ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગની નિયમિત દેખરેખ અને જરૂરી જાળવણી કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.