CM ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 4473 ઉમેદવારોને સોંપ્યા નિમણૂક પત્રો, Dy.CMની મોટી જાહેરાત
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના નિમણૂંકપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 4 હજાર 474 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.