ખેડૂતોને મોટી રાહત: કૃષિ સહાય પેકેજની અરજીની સમયમર્યાદા લંબાવાઈ
નુકશાનગ્રસ્ત ખેડૂતોને વધુ સમય મળી રહે તે હેતુથી, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા સાત દિવસ માટે લંબાવવામાં આવી છે.હવે ખેડૂતો આગામી તા. 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.ખેડૂતોને અપીલ છે કે જેમણે હજી અરજી નથી કરી, તેઓ ત્વરિત આ યોજનાનો લાભ લે.