ભારતીય વાયુસેના દ્વારા શ્રીલંકામાં માનવતાવાદી સહાય (HADR)મિશન
દિવસભર ચાલેલા આ મિશન દરમિયાન, IAFના હેલિકોપ્ટરોએ કુલ 45 ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા, જેમાં 6 ગંભીર રીતે ઘાયલ અને 4 શિશુઓનો સમાવેશ થાય છે. આ તમામને સુરક્ષિત રીતે કોલંબો પહોંચાડવામાં આવ્યા હતા.બચાવવામાં આવેલા મુસાફરોમાં 12 ભારતીય નાગરિકો અને 30થી વધુ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, જેઓ જર્મની, દક્ષિણ આફ્રિકા, સ્લોવેનિયા, યુકે, પોલેન્ડ, બેલારુસ, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા વિવિધ દેશોના હતા. આ ઉપરાંત, શ્રીલંકાના નાગરિકોને પણ બચાવવામાં આવ્યા હતા.