'આત્મનિર્ભર ભારત', 'વોકલ ફોર લોકલ' અને 'મેડ ઈન ઈન્ડિયા'ના સ્લોગન આજે ભારતને વૈશ્વિક સ્તરે વિકસિત બનાવવાનો આધાર
જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે કાર્યરત સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સ ઈન્ડિયા પ્રા.લિ. છે.અગાઉ અમેરિકામાં કાર્યરત આ જાયન્ટ કંપનીએ ભારતમાં પોતાની યાત્રા એક ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ તરીકે શરૂ કરી હતી. કંપનીનો મુખ્ય હેતુ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આધુનિક 'જિયોસિંથેટિક્સ' ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાનો હતો. ગુજરાત સરકારની ટેક્સટાઈલ પોલીસી-2019 હેઠળ કંપનીને ₹3.42 કરોડની સબસીડી પ્રાપ્ત થઈ હતી.આ સમર્થન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે કંપનીનું વાર્ષિક ટર્નઓવર ₹270 કરોડથી વધીને ₹775 કરોડ સુધી પહોંચી ગયું છે. આજે આ કંપની 250થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહી છે.