ઊંઝામાં કેમિકલયુક્ત ભેળસેળયુક્ત વરિયાળીનો મોટો જથ્થો ઝડપાયો: 26 ટન વરિયાળી સીઝ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન વરિયાળીને આકર્ષક અને લીલી બનાવવા માટે તેમાં અખાદ્ય કેમિકલ કલરની ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું.જપ્ત મુદ્દામાલ તંત્ર દ્વારા રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે.લાઇસન્સનો અભાવ તપાસમાં બહાર આવ્યું છે કે, બંને પેઢીઓ પાસે ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.