ગુજરાતના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર નાગરિકોના સર્વાંગી કલ્યાણ માટે કટિબદ્ધ છે. આ દિશામાં શિક્ષણ અને પોષણના સમન્વય રૂપી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’એક મહત્વનું સોપાન સાબિત થઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન ઉપરાંત હવે તાજો અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે. આનાથી બાળકોમાં પોષણનું સ્તર સુધર્યું છે અને શાળાઓ પ્રત્યે તેમનો લગાવ પણ વધ્યો છે.” રાજ્ય સરકાર શાળાઓમાં માત્ર ભોજન જ નહીં, પરંતુ આધુનિક ક્લાસરૂમ, પરિવહન અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ માટે પણ એટલી જ ગંભીર છે.